હરિદ્વાર haridwar

રહેવા માટે ધર્મશાળા

◼️હરિદ્વાર માં ગુજરાત  જેવી ફીલિંગ લેવી હોઈ તો શિવમૂર્તિ ગલી છે જે  રેલવે સ્ટેશનથી માત્ર 200 મિટર દૂર છે.ત્યાં ઘણા આશ્રમ  અને ધર્મશાળાઓ છે. બાપા સીતારામ, શાહુવાલાl, આર્ય નિવાસ , મોદી ભવન વગેરે....

◼️બીજું છે નકલંક ધામ જે આશ્રમ થોડો કોસ્ટ વધારે લેય છે પણ સુવિધા 5 સ્ટાર જેવી આપે છે

◼️ત્રીજો છે ઉમિયાધામ આશ્રમ હરિદ્વાર જે પટેલ ગ્રુપ ઊંઝા ઉમિયાધામ દ્વારા સંચાલિત છે સાથે એમાં પણ સુવિધાઓ સારી મળે

◼️ કચ્છી આશ્રમ જે ભારત માતા મંદિર પાસે છે જે મોટા ભાગ એ ગુજરાતની પબ્લિક થી ભરેલો જ હોઈ છે.. 

◼️ કચ્છી આશ્રમ પાસે મોરબી કડવા પટેલ સમાજ..ભારતમાતા મંદિર બાજુમાં, નેપાળ આશ્રમ ની પાછળ બેસ્ટ રેવાની એને જમવાની વ્યવસ્થા. 

ગુજરાતી સમાજ, Haridwar 

હરિદ્વાર માં રોકવા માટે ગુજરાતી સમાજ વાળી ગલી માં.. ગુજરાતી સમાજ માં. ૩૫૦ રૂપિયા. અને આજુબાજુ માં ૫૦૦/૮૦૦ માં રૂમ મળી જશે... ગુજરાતી સમાજ.રેલવે સ્ટેશન થી ૩૦૦ મીટર જ દૂર છે. તેથી રીક્ષા માં જવું નહિ... રીક્ષા વાળા ૨૦૦/૩૦૦ કહે છે... પણ સ્ટેશન થી બહાર નીકળી ડાબી બાજુ.૧૫૦ મીટર ચાલસો એટલે સર્કલ આવશે. અને એજ ગુજરાતી સમાજ.

ત્યાં પોરબંદરવાળા ની સરસ લૉજ છે. જમવાની મજા આવશે. તે ગલીમાં અન્ય પણ ઘણી લૉજ છે.

નકલંકધામ, હરિદ્વાર  

જો તમે હરિદ્વાર, ઋષિકેશ, મસૂરી કે ચારધામ યાત્રાની યોજના બનાવી રહ્યા હો, તો *નકલંકધામ હરિદ્વાર* શ્રેષ્ઠ સ્થળ છે રહેવા અને શાંતિનો અનુભવ કરવા માટે.  

અત્યાધુનિક સગવડો સાથે, અહીં તમને ઘર જેવો આરામ અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળું ભોજન મળશે.  

અહીં રહેવા માટે ઑનલાઇન બુકિંગ ઉપલબ્ધ નથી, તમારે આશ્રમમાં વ્યક્તિગત રીતે પહોંચી ને બુકિંગ કરવી પડશે. 

✔ 3 ભવ્ય ઇમારતો  

✔ 100+ AC અને Non AC રૂમ  

આ આશ્રમ પરમ પૂજ્ય ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ ગુરુ શ્રી કરશનદાસ બાપુ (મહંત શ્રી નકલંકધામ તોરાણિયા - હરિદ્વાર - રામદેવરા) ના માર્ગદર્શન હેઠળ સંચાલિત છે

શ્રી નકલંકધામ હરિદ્વાર, ભૂપતવાલા, ભારતમાતાપુરમ,

હરિદ્વાર, ઉત્તરાખંડ 8449907268, 9719020444

વિડિઓ જોવા માટે


ઉમિયાધામ આશ્રમ - હરિદ્વાર

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન - ઊંઝા, ગુજરાત સંચાલિત છે.

સરનામું 

ગલી નં. ૫, દેવ સંસ્કૃતિ યુનિવર્સીટી પાસે, બિરલા ફાર્મ રોડ, હરિપુર કલા, હરિદ્વાર. 

મો. ૮૧૭૧૧ ૩૦૯૮૨

ચેતવણી

ઉમિયાધામ આશ્રમ હરિદ્વાર ના બુકિંગમાં ભળતા નામથી ફ્રોડ થાય છે. તો ચોકસાઈ કરીને રૂમ બુકીંગ કરાવશો.

ઉમિયાધામ આશ્રમ - હરિદ્વાર વેબસાઈડ દ્વારા ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું નથી.

રૂમ બુકિંગ માત્ર સંસ્થાનના ફોન અને WHATSAPP પ્રક્રિયાથી સંસ્થાના બેંક એકાઉન્ટમાં પેમેન્ટ ડીપોઝીટ કરાવ્યા બાદ થાય છે.

બુકિંગ માટે નંબર :  મો. ૮૧૭૧૧ ૩૦૯૮૨

વિડિઓ જોવા માટે...


શ્રી કચ્છી આશ્રમ હરિદ્વાર

સરનામું :- ભારતમાતા મંદિર પાસે,  Sapt Sarovar Marg, Bhoopatwala, Haridwar

અહીં કોઈપણ પ્રકારની ઓનલાઈન પેમેન્ટ કે બુકિંગ લેતા નથી.

પૂછપરછ માટે એક જ નંબર છે.

Mob. 783 073 8944

(અહીં રૂમ ન મળે તો જુગાડ કરી શકો છો. બરોબર કચ્છી આશ્રમ સામે ગંગા કાંઠે સાઉથના બેક આશ્રમ છે. ત્યાં રોકાવાનું અને જમવાનું કચ્છી આશ્રમમાં, તેનો અલગથી પાસ કઢાવવો.)

વિડિઓ જોવા માટે

################################

આ સિવાય ભારતમાતા મંદિર આસપાસ, ભૂપત વાલા વિસ્તારમાં ગુજરાતી સમાજો અને હોટેલ ઘણી સસ્તા ભાવમાં મળી જાય છે. બેસ્ટ રોકાવા માટે અને ઋષિકેશ તથા મસુરી જવા માટે અહીં થી સરળતા રહે છે.

તમે હરિદ્વારના પ્લાનિંગમાં હોવ તો સૌ પ્રથમ ટ્રેન મુસાફરી કરીને આવ્યા હશો. તો રેલવે સ્ટેશન થી સાવ નજીક ગુજરાતી સમાજ કે અન્ય હોટેલ માં રોકાઈ શકો અને હરકી પૌડી ની આરતી તેમજ ગંગા ઘાટ પર સ્નાન કરી શકો છો. બીજા દિવસે તમે ભૂપત વાળા અથવા કચ્છી આશ્રમ બાજુ રહેવા માટે નક્કી કરી આવવું.. આ સરળ પડે.

###########################

ઉપર દર્શાવેલ આશ્રમોમાં રૂમ ન મળે તો જુગાડ કરી શકો છો. બરોબર કચ્છી આશ્રમ સામે ગંગા કાંઠે સાઉથના બેક આશ્રમ છે. ત્યાં રોકાવાનું અને જમવાનું કચ્છી આશ્રમમાં, તેનો અલગથી પાસ કઢાવવો.

માહિતી નીચે મુજબ આપેલ છે. જ્યાં હું દર વર્ષે રોકાવ છું.

Sri Ganapathy Sachchidananda Ashrama bhadrakali Peetham.

Opp. Kutchhi Ashram, Saptsarovar Road, Near Bharat Mandir, Motichur, Haridwar, Uttarakhand 249411

Contact:- 093190 05714






વિડિઓ જોવા અહીં ક્લિક કરો




लच्छीवाला, उत्तराखंड देहरादून से 21 किमी दूर हरिद्वार ऋषिकेश रोड पर स्थित एक शांत और हरा भरा नेचर पार्क है।
यह साल के जंगलों से घिरा हुआ है और Suswa नदी से बने छोटे मानव निर्मित पानी के तालाब यहाँ का मुख्य आकर्षण हैं।

यह जगह परिवार और दोस्तों के साथ पिकनिक मनाने, नेचर वॉक, बर्ड वॉचिंग और बच्चों के साथ समय बिताने के लिए काफी लोकप्रिय है। पार्क में झूले, बटरफ्लाई पार्क, हर्बल गार्डन और फ्लोरा फॉना की जानकारी देने वाला धरोहर म्यूजियम भी है।

देहरादून से यहाँ लोकल बस, शेयर ऑटो या टैक्सी से 30 से 45 मिनट में पहुँचा जा सकता है। ऋषिकेश से दूरी करीब 25 किमी और हरिद्वार से करीब 35 किमी है। 

पार्क आमतौर पर सुबह 8 बजे से शाम 5 बजे तक खुला रहता है और एंट्री फीस करीब 50 रुपये प्रति व्यक्ति और पार्किंग शुल्क करीब 40 रुपये है। एक दिन की छोटी और सुकून भरी ट्रिप के लिए यह जगह बहुत अच्छी है।



ઉમાધામ હરિદ્વાર માં નવું બન્યું
અહીંયા એસી ડબલ બેડ 600/- રૂપિયા
નોન એસી ડબલ બેડ 350/-  રૂપિયા
બપોરનું અને રાતનું જમવાનું ૫૫/- રૂપિયા








હરિદ્વાર તથા તેમની આસપાસ જોવાલાયક સ્થળો...

નીચે આપેલ સ્થળો હરકી પૌડી વિસ્તારથી રિક્ષા દ્વારા જોઈ શકાય છે.

  • હરકી પૌડી (જ્યાં ગંગા આરતી થાય છે. 4 વાગ્યા આસપાસ ગંગા માતાના મંદિરની સામે જગ્યા લઈ બેસી જવું...)
  • મનસા દેવી માતાજી (હર કી પૌડી ની સામેની ગલીમાંથી રોપ વે ટિકિટ મળે છે.. ત્યાંથી જવાનું)
  • ભીમગોડા રેલવે ટ્રેક પાસે
  • માં ચંડી દેવી. (નીલ પર્વત, નાઝિયા બાદ રોડ પર,  રોપ વે સુવિધા)
  • દક્ષ પ્રજાપતિ ટેમ્પલ, કનખલ (માતા પાર્વતીજી એ દેહ ત્યાગ કર્યો અને શિવજી ક્રોધિત થયા અને ત્યાંથી શક્તિ પીઠો ની રચના થઈ તે જગ્યા)
  • પારદ શિવલિંગ

નીચે આપેલ સ્થળો ભારત માતા મંદિર થી ચાલીને કે  રિક્ષા દ્વારા પણ જોઈ શકાય છે.

  • શાંતિકુંજ ગાયત્રી આશ્રમ
  • ભારત માતા મંદિર
  • સપ્તર્ષિ આશ્રમ
  • વૈષ્ણોદેવી ટેમ્પલ
  • પાવન ધામ
  • અન્ય વચ્ચે ઘણા પ્રદર્શન હશે.. બાળકોને મજા આવશે.
ઋષિકેશ જોવાલાયક સ્થળોની યાદી :- 
(જો તમે કચ્છી આશ્રમ બાજુ રોકાવ તો ત્યાંથી રિક્ષા મળે)
  • ત્રિવેણી ઘાટ : - ત્રણ નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે જ્યાં દરરોજ સાંજે 'મહા આરતી' થાય છે.
  • રામ ઝુલા
  • લક્ષ્મણ ઝુલા
  • ત્ર્યંબકેશ્વર મંદિર (13 માળનું આ ભવ્ય મંદિર) અહીંથી જ નીલકંઠ જવા માટે ટેક્સી મળી રહે છે.)
  • નીલકંઠ મહાદેવ તથા ઝિલમિલ ગુફા
  • સ્વર્ગાશ્રમ. 
  • પરમાર્થ નિકેતન
  • ગીતા ભવન. 
  • ભારત મંદિર.
(સમય હોય તો જવાય.. એવા સ્થળો )
  • જંગલ સફારી વાઘ દર્શન રાજાજી નેશનલ પાર્ક. 
  • (સફારી ટાઈમ સવારે 07 વાગે અને બપોરે 02 વાગે.)
  • જાનકી સેતુ
  • નીરગઢ વોટરફોલ 
  • બીટલ્સ આશ્રમ (યોગ માટે)

દેહરાદૂન, મસુરી જોવાલાયક સ્થળો..
(તમે જ્યાં રોકાયા હોય ત્યાં આજુબાજુ થી બસ મળી રહેશે અથવા પ્રાઇવેટ વાહન પણ કરી શકો.)
  • સહસ્ત્રાધારા. (ન્હાવા માટે)
  • ગુછુ પાની રોબર્સ કેવ.
  • ટપકેશ્વર મંદિર. 
  • મસૂરીમાં
  • ગન હિલ. રોપ વે.
  • કેમ્પ્ટી ફોલ. 
  • માલ રોડ.

100 रुपये मे 2 व्यक्ति रात्रि विश्राम

 आज मैं आपसे #हरिद्वार की ही एक ऐसी धर्मशाला की जानकारी साझा कर रहा हूँ, जहाँ मध्यम वर्गीय यात्री सिर्फ 100 रुपये मे 2 व्यक्ति रात्रि विश्राम कर सकते हैं वो भी रूम मे, जी हाँ ये हरिद्वार मे स्थित  हर की पैड़ी कोतवाली के पास लखनऊ धर्मशाला ट्रस्ट है जो कि बहुत ज्यादा साफ सुथरी जगह है, जो कि पहले निशुल्क थी लेकिन 2019 से सिर्फ 100 रुपये maintienence के रूप मे लिए जाते हैं, यहाँ के नियम बहुत सख्त हैं आप इनकी लिस्ट मे देख लेना, इसीलिए यहाँ सफाई रहती है, अब कुछ जानकारी यहाँ पहुँचने की बताता हूँ, जब आप हरिद्वार रेलवे station से हर की पैड़ी तरफ जायेंगे तो आपको इसी धर्मशाला के सामने से ही गुजरकर जाना होता है , या फिर यहाँ जाने के लिए हर की पैड़ी  कोतवाली पास है जो कि सिर्फ  100 मीटर  दूर है जो कि आप किसी से पूछ के आ सकते हैं, यहाँ पर   सिर्फ 100 रुपये मे  रूम दिया जाता है जिसमे 2 व 3 लोग रात्रि विश्राम कर सकते हैं, 100 रुपये सिर्फ मैंटिनेंस चार्ज के रूप मे बस लिए जाते हैं ताकि यहाँ की सफाई अच्छी हो सके, ये बिल्कुल साफ सुथरी धर्मशाला है क्यों कि यहाँ के नियम थोड़े सख्त हैं इसलिए यहाँ सफाई रहती है, यहाँ 3 बेड व 4 बेड वाला सिस्टम नहीं है सब डबल बेड वाले ही सारे रूम हैं और कोई भी रूम मे अटैच बाथरूम नहीं है,यहाँ रूम न ही online बुक होंगे, न ही फोन के द्वारा, कोई यहाँ पर आयेगा तो रूम खाली होंगे तो मिल जाते हैं,, धन्यवाद 🙏🙏जय माँ गंगे 🙏🙏

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

વડસર તળાવ વાંકાનેર

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

પોરબંદર વિશે જાણો....