Prayagraj પ્રયાગરાજ

ગંગા, યમુના, સરસ્વતી જે નદી પાતાળમાં વહે છે. ત્રણેયનું સંગમ સ્થાન.

પૃથ્વીને બચાવવા માટે, ભગવાન બ્રહ્માએ અહીં એક વિશાળ યજ્ઞ કર્યો. બ્રહ્માજીએ યજ્ઞ કરવા માટે પૃથ્વી પર પ્રયાગ પસંદ કર્યો અને તેને બધા તીર્થસ્થાનોમાં મહાન તીર્થરાજ તરીકે જાહેર કર્યું. 

બ્રહ્માજીએ વિશ્વની રચના પછી અહીં પહેલું યજ્ઞ કર્યું હતું, તેથી તેનું નામ પ્રયાગ રાખવામાં આવ્યું. સંસ્કૃતમાં, પ્રયાગનો અર્થ 'બલિદાનનું સ્થળ' પણ થાય છે. પુરાણો અનુસાર, પ્રાચીન સમયમાં પ્રયાગ કોઈ નગર નહોતું પણ તપ અને તીર્થસ્થાન હતું. માન્યતા અનુસાર, આ તીર્થસ્થળ લગભગ 15 હજાર વર્ષ પૂર્વેથી અસ્તિત્વમાં છે. ત્રણ હજાર વર્ષથી અહીં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.

અક્ષય વટ 

જ્યારે બ્રહ્માજી દ્વારા આ જગ્યાએ યજ્ઞ કરવામાં આવ્યો ત્યારે તેઓ પોતે પુજારી બન્યા, ભગવાન વિષ્ણુ યજમાન બન્યા અને ભગવાન શિવ તે યજ્ઞના દેવતા બન્યા. પછી ત્રણેય દેવતાઓએ પૃથ્વી પરના પાપનો ભાર હળવો કરવા માટે તેમની શક્તિથી એક 'વૃક્ષ' બનાવ્યું. તે એક વડનું ઝાડ હતું જે આજે અક્ષયવટ તરીકે ઓળખાય છે.

ઔરંગઝેબે આ વૃક્ષનો નાશ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તેને ખોદીને બાળી નાખવામાં આવ્યું, પરંતુ આ અક્ષયવટ વૃક્ષ જેને વરદાન મળ્યું હતું તે આજે પણ હાજર છે. આજે પણ ઔરંગઝેબ દ્વારા સળગાવવામાં આવેલા નિશાનો જોઈ શકાય છે.

સંગમ સ્થાન 

પૌરાણિક માન્યતા એવી છે કે જ્યારે દેવતા અને રાક્ષણો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી અમૃતનું પાત્ર નીકળ્યું હતું. 12 દિવસ સુધી દેવો અને રાક્ષસો વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. આ દરમિયાન ધરતી પર 4 સ્થળ – પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં અમૃતના અમુક ટીપા પડ્યા હતા. આ 4 સ્થળો પર દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે.

નિષાદ રાજ પાર્ક :- 

ભગવાન રામ સાથે જોડાયેલ આ સ્થળ.. સીતા સ્વયંવર પછી, દશરથ રામને રાજા બનાવવા માંગતા હતા, પરંતુ કૈકેયીએ તેમના માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો. વનવાસમાં ગયા પછી, રામ સૌથી પહેલા શૃંગાવરપુર ધામ એટલે કે આજના પ્રયાગરાજ પહોંચ્યા. રામ અહીં નિષાદરાજને મળ્યા. રામે અહીં આરામ કર્યો અને પછી કેવટે રામ, સીતા અને લક્ષ્મણને નદી પાર કરવામાં મદદ કરી. એ જ આ સ્થળ.. અને અહીંથી નદી પર કરી તેઓ ભારદ્વાજ મુનિના આશ્રમમાં તેમના આશીર્વાદ લેવા ગયા. અહીં સરસ પાર્ક બનાવવામાં આવ્યો છે. જેમાં પ્રભુ રામ અને કેવટ સાથે જોડાયેલા પ્રસંગો મૂર્તિ સ્વરૂપે જોવા મળે છે.

ચિત્રકૂટ તરફ પ્રયાણ

મહર્ષિ ભારદ્વાજે રામને રોકાવા કહ્યું હતું, પરંતુ રામે કહ્યું હતું કે આ જગ્યા અયોધ્યાથી ખૂબ નજીક છે. અમે અહીં રહીશું તો લોકો અમને મળવા આવતા રહેશે. આ પછી જ ઋષિ ભારદ્વાજે તેમને ચિત્રકૂટ જવાની સલાહ આપી.'

આમ તેઓ અહીંથી ચિત્રકૂટ તરફ ગયા હતા.

સંગમ સ્નાનનું અદકેરું મહત્વ...

જ્યારે રામ રાવણનો વધ કરીને અયોધ્યા પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ ફરી એકવાર મહર્ષિ ભારદ્વાજના આશ્રમમાં આવ્યા હતા. ભારદ્વાજ મુનિએ રામને કહ્યું હતું કે રાવણ બ્રાહ્મણ છે અને તેમના પર બ્રાહ્મણની હત્યાના પાપનો આરોપ છે. તેઓએ પહેલા સંગમની ત્રિવેણીમાં જઈને સ્નાન કરવું જોઈએ અને પછી જ આશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. રામ સ્નાન કરીને પછી તેઓ આશ્રમમાં આવ્યા હતા. એટલે જ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ના સ્નાનનું મહત્વ અનેરું છે.

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

પોરબંદર વિશે જાણો....