Posts

Showing posts from November, 2019

ઉજાણી ઘર

Image
ગ્રુપ પીકનીક કે ગેટ ટુ ગેધર માટે અને ગ્રુપના સભ્યોને પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માટે એક સરસ સ્થળ જાણકારીમા આવ્યુ છે:"ઉજાણી ઘર". સાણંદ થી નળસરોવર રોડ પર સ્થિત " ઉજાણી ઘર " આપને ઘરનાં ભોજનનો સ્વાદ આપશે અને આપ આપની નળ સરોવર ની મુલાકાત યાદગાર બનાવી શકશો. ઉજાણી ઘરની થોડી નોંધપાત્ર બાબતો 1. શુધ્ધ ,સાત્વિક, ઓછા તેલ માં અને મોટાભાગે ચૂલા પર બનેલું ભોજન.(મેંદો,મોરસ નહીં ) 2. મોટા ભાગે માટીના વાસણો માં બનેલું અને માટીના વાસણોમાં જ પીરસાતું ભોજન. 3. પર્યાવરણની સાથે આપણી પરંપરાગત સંસ્કૃતિ સાથે  આપ આપનો સમય વિતાવી શકો તેવુ વાતાવરણ 4. બાળકો માટે તમામ ઇન્દ્રિયોનો વિકાસ થાય તેવી રમતો 5. જાતે રસોઈ બનાવી શકો તે માટેની અનુકુળતા 6. રસોઈ થતી જોઈ શકાય તે રીતે ખુલ્લું રસોડું 7. ટેબલ - ખુરશીની સાથે સાથે પરંપરાગત બેઠક વ્યવસ્થા. 8. સૌથી મહત્વ ની બાબત આપના દ્વારા બિલ માં ચૂકવાતી રકમ નો નફો આજુબાજુના ગામના 6 વર્ષ સુધી ના કુપોષિત બાળકો ના પોષણ માટે ઉપયોગ કરવામાં આવશે .... એટલે કે જાણે અજાણે આપ આ બાળકો ના વિકાસ માટે 'નિમિત્ત' બની શકો છો. આપ આવો

હરસિધ્ધિ મંદિર કોયલા ડુંગર

વાત છે એવા જ એક ધાર્મિક સ્થળની જેનો સીધો જ સંબંધ છે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ સાથે. પોરબંદર થી દ્વારકા જતા માત્ર 42 કિ.મિ. ના અંતરે આવેલુ ગામ ગાંધવી અને મિયાણી જ્યાં કોયલા ડુંગર પર બિરાજે છે કોયલા ડુંગર ની મહારાણી માં ભવાની હરસિધ્ધિ. આ સ્થળ હર્ષદ ના નામ થી પ્રસિધ્ધ છે. જ્યાં થી દ્વારકા માત્ર 64 કિ.મિ. દૂર થાય. જામનગર થી 135 કિ.મિ. કાપી ને ખંભાળિયા, ભાટિયા, લાંબા થઇને પણ હર્ષદ પહોંચી શકાય. કોયલા ડુંગર પર 299 પગથિયાં ચડીને આવેલુ છે માં હરસિધ્ધિ નુ અતિ પ્રાચીન મંદિર. એમ કહેવાય છે કે જરાસંધ સામે લડવા અને શંખાસુર નામ ના રાક્ષસ નો વધ કરવા ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં માં અંબા નુ આવાહન કરેલુ અને માતાજી એ શંખાસુર નો વધ કર્યો. ત્યારબાદ ભગવાન માધવરાય શ્રી કૃષ્ણ એ અસૂરો પાસે આ મંદિર બંધાવ્યુ. આ મંદિર ના સ્થંભો ના નિચલા ભાગમાં આજે પણ અસૂરો ના મુખ ચિત્રાયેલા છે. જે એવુ મનાય છે કે માં હરસિધ્ધિ એ આ મંદિર ના સ્થંભ હેઠળ બધા અસૂરો ને દબાવી દીધા છે. વિક્રમ સંવત શરૂ કરાવનાર સમ્રાટ વિક્રમાદિત્ય ના આરાધ્ય દેવી પણ માં હરસિધ્ધિ હતા. ઉજ્જૈન માં પવિત્ર ક્ષિપ્રા નદી ના કિનારે માં હરસિધ્ધિ નું ભવ્ય મંદિર આવેલુ છે.

ગોવર્ધન પર્વત સતાપર

વૃંદાવનધામની પ્રતીતિ કરાવતો અંજારનો `ગોવર્ધન પર્વત'' અંજાર તાલુકાનાં સતાપર ગામ પાસે આવેલા ધાર્મિક સ્થળ ગોવર્ધન પર્વત પર ગોકુળિયા માહોલ. નિજાનંદ સંપ્રદાયના સાતમા ગાદીપતિ અને અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના નેજા હેઠળ અંજારનાં સતાપર ગામ પાસે આવેલા સંપ્રદાયની 30 એકર જેટલી વિશાળ વાડીમાં ગોવર્ધન પર્વત અને તેની તળેટીને વિકસાવવાનો નિર્ધાર કરવામાં આવેલો ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ત્યાંનો વિકાસ એટલો ઝડપી અને મનમોહક બની રહેશે. એક સમયના તદ્દન વેરાન અને પથ્થરોથી ઊબડખાબડ પર્વત હાલે અગિયાર હજાર કરતાં પણ વધુ વૃક્ષોના ઉછેરથી લીલુંછમ બન્યો છે. વૃંદાવનની જેમ જ ગોવર્ધન પર્વતની તળેટીએ કામવન, કોકિલા, મધુવન, વ્રજ, વ્રજરમણ રેતી, પ્રદક્ષિણા માર્ગમાં ગુરુ મહારાજની દેરીઓ, પશુ પક્ષીઓ માટે ચબૂતરા-કુંડાઓ, ગોપીઓ સાથે રાસ માણતા રાધાકૃષ્ણને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે તેમજ તળેટીની બિલકુલ સામે પ્રથમ જ નજરે કોઈનું પણ મન મોહી લે એવી રીતે યમુના મહારાણીનું અત્યંત રમણીય લાગતી પશુ-પક્ષીઓની પ્રતિકૃતિ સાથે નિર્માણ કરવામાં આવ્યું છે. તળેટીની નીચે જ `સંત કુટિર' તૈયાર કરવામાં આવી છ

ઘુમલી

Image
ઐતિહાસિક સ્થળ અને જેઠવા શાસકોની રાજધાની "ઘુમલી" . ઘુમલી કે ભૂમલી એ એક સમયે ગુજરાતના જેઠવા શાસકોની રાજધાની હતી. આ શહેરની સ્થાપના જેઠવા સાલ કુમારે ઈ.સ. ૭ મી સદીમાં કરી હતી.ઈ.સ. ૧૨૨૦માં રાણા સિયાજી દ્વારા ઘુમલીને જેઠવા રાજ્યની બીજી રાજધાની તરીકે ઘોષિત કરી. તેમણે પોતાની રાજધાની શ્રીનગર (પોરબંદર)થી ખસેડી.આ સમયની આસપાસમાં વલભી રાજ્ય પણ હતું તેમ કહી શકાય તેઓના રાજા પણ બહાદુર અને શકિતશાળી હતા. ઘુમલીનો વિનાશ, સોન કંસારીના શ્રાપ અને બરડાઈ બ્રાહ્મણોના શૌર્યની કથા .... જાણો ઘુમલી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે જે બરડા પર્વતમાળાની તળેટી માં સ્થિત છે. પોરબંદરથી તે ૪૫ કિ.મી.ના અંતરે આવેલું છે. ઘુમલી આઠમી સદીની મધ્યથી દશમી સદી સુધી સૈધવ શાસકોની રાજધાની હતી. ઘુમલી ત્યાર બાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના જેઠવા શાસકોની રાજધાની હતી. ઈ.સ. ૧૨૨૦માં રાણા સિયાજીએ ઘુમલીને જેઠવા રાજ્યની બીજી રાજધાની તરીકે ઘોષિત કરી અને રાજધાની શ્રીનગર (પોરબંદર)થી ઘુમલી ખસેડી. પુસ્તક 'મકરધ્વજવંશી મહિમાલા' અનુસાર પશ્ચિમ સૌરાષ્ટ્રનું જેઠવા વંશ રાજપૂત રાજ્ય આજના પોરબંદર થી છેક મોરબી

સબરી ધામ

સબરી ધામ એટલે ડાંગનું ગાઢ જંગલ ને માતા સબરીના ચાખેલાં બોર સબરીમાતાના દેવળને કારણે પહેલેથી જ ગામનું નામ સુબીર અને સુબીરમાં સબરીધામ. મોરારીબાપુ એ રામકથા કરી ચુકયા છે. થોડા વર્ષ પહેલાં સબરીધામ અને પંપા સરોવરે મીની મહાકુંભ ભરાયો હતો. અસિમાનંદ સ્વામીના પ્રયત્નોથી આ જગ્યા ઉછાગર થઈ પ્રખ્યાત થઈ. એ જ અસિમાનંદ સ્વામી અને સાધવી પ્રજ્ઞાસિંહ ઠાકુર બંનેને એક કેસ હેઠળ ધરપકડ થઈ. ડાંગ જીલ્લાનુ આખું જંગલ ચીરીને છેલ્લે આવેલ સબરીમાતાનું એકમાત્ર મંદિર. ગોલ્ડ મેડાલીસ્ટ સરિતા ગાયકવાડ એ ડાંગના સબરીધામના વિસ્તારની છે. સબરીધામ એ ડુંગરની ઊંચી ટેકરી ઉપરની ટેબલટોપ જેવી જગ્યામાં પહેલાં આદિવાસીઓની દેવી સબરીમાતાનું નાનું દેવળ હતું. હવે સરકાર દ્રારા વિશાળ સ્વરુપે ડેવલોપ કરેલ. સબરીધામની ટેકરીથી આપણી નજર પહોંચે ત્યાં સુધી ડાંગનું જંગલ દેખાય. સબરીમાતાના નામ પરથી જ ડાંગનો નવો સુબીર તાલુકો બન્યો છે. સબરીધામ વિસ્તારનું નાગલી નામનું અનાજ બહુ પ્રખ્યાત છે. તેના બાજરીના જેવા રોટલા થાય છે. તે અતિ પોસ્ટીક અને એનર્જીથી ભરપુર છે. નાગલી એ ત્યાના આદિવાસીઓની ખેતીનો પાક છે અને ખોરાખ પણ છે. ગોલ્ડ મેડાલીસ્ટ સર

કનકાઈ માતા ગીર

સૌરાષ્ટ્રમાં જૂનાગઢના ગીર જંગલમાં સ્થિત કનકાઈ માતા મંદિર કે જેને કનકેશ્વરી મંદિર પણ કહેવાય છે. શ્રી કનકાઈ માતાજીનું આ મંદિર એ ગુજરાત રાજયનાં જૂનાગઢ જિલ્લામાં મધ્ય ગીરમાં આવેલું છે. જે તુલસી શ્યામથી આશરે ૨૨ કિલોમીટર દૂર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે. આમ કનકાઈથી સાસણ ૨૪, વીસાવદર ૩૨, અને અમરેલી ૭૫ કિલોમીટર દૂર આવેલ છે. વરસાદની ઋતુમાં વાહનવ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવું પડે છે કારણ કે જંગલ ખાતાની ચેક પોસ્ટથી સાંજના ૭ વાગ્યા પછી અવરજવરની મનાઈ હોય છે. ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાના પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઇ ગયો. તેણે કનકાઈ (કનકાવતી) નગરીની સ્થાપના કરી હતી. મા કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યાં હતાં. મંદિરમાં અધિષ્ઠાત્રી દેવી સુવર્ણ જેવી જેની ક્રાન્તિ છે તેવી નંદરાજાને ઘેર જન્મેલી અને શ્રીકૃષ્ણએ જેમની ઉપાસના કરી હતી તેવી શક્તિનું પ્રગટ સ્વરૂપ માનવામાં આવે છે. બીજી એક લોકવાયકા એવી પણ છે કે વળાના મૈત્રક વંશનાં મૂળ પુરુષ કનકસેન અયોધ્યાનાં સૂર્યવંશી રાજવી હતાં. તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રા