Posts

કેદારનાથની માહિતી

 बाबा केदारनाथ यात्रा हेतु सहयोगी पोस्ट ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ जैसे जैसे 4 धाम के कपाट बंद होने का समय नजदीक आ रहा है तो ग्रुप के कुछ सदस्य अपना यात्रा कार्यक्रम निर्धारित करने के प्रयास में जुट गए है, इसलिए केदारनाथ से सम्बंधित प्रश्न पूछे जा रहे है, इसी कारण केदारनाथ यात्रा से सम्बंधित यह पोस्ट लिखने का मन हुआ प्रयास है कि अधिक से अधिक प्रश्नों के उत्तर इस पोस्ट के माध्यम से आप तक पहुंचे । ■◆ पहला विकल्प :- आप देश के किसी भी शहर से आ रहे है आपको हरिद्वार या ऋषिकेश तक आना है, यहां तक आने के लिये आप बस और ट्रेन का विकल्प ले सकते है, इससे आगे की यात्रा आप बस से कर सकते है, जिसके लिए आप हरिद्वार पहुंचते ही मुख्य बस अड्डे से शाम को ही अपनी सीट केदारनाथ के लिए बुक करा सकते है जिसके लिए आपको सोनप्रयाग का टिकट मिलेगा, सुबह बस के चलने का समय मालूम कर निश्चिन्त होकर हर की पौड़ी पर गंगा स्नान और गंगा आरती का आनंद लेकर रात्रि विश्राम करें, सुबह अपनी बस पकड़े और यात्रा का श्रीगणेश करें, यह बस आपको बीच में चाय नाश्ता व लंच के लिए स्टॉपेज देती है और आप शाम 5 बजे तक केदारनाथ हेतु सोनप्रयाग पहुंच जाते है ।

આભાપરા:- બરડાની સૌથી ઉંચી ટૂંક

 #આભપરો...                                      આભાપરાને કોઈ ઉપમા ઘટે તો સદેહે બિરાજતા શિવની. આભાપરાની બાજુની ટેકરી, શિવની વામકક્ષે બેઠેલાં પાર્વતી સમી છે; તો દક્ષિણનો વેણુ, ઋષિ-મુનિઓના પ્રતિનિધિ સમા ભૃગુ જેવો, શિવથી ય બે વેંત ઊંચો શોભી રહ્યો છે. ચરણોમાં ગંગાના પુનિત વારિભર્યા બે તળાવો અને બાજુમાં જ ફેણ ચડાવી સ્તુતિ કરતા નાગ દેવતાના ઊભા પથ્થરો. સામે જુદું તરી આવતું દંતારનું શિખર જાણે નંદી છે તો કાનમેરો અને હડિયો શિવના બે ગણો - આમ ભગવાન શિવનો અદ્ભૂત પરિવાર, કલ્પનાની આંખથી જોઈએ તો આપણી સમક્ષ ખડો થાય છે.                  બરડાની આજુબાજુ રહેનારો માણસ આભાપરા ઉપર રાત ન રોકાયો હોય તો તેને આપણે શું કહેશું ? અરસિક અને બુદ્ધુ કહેવા કરતાં, ગીતાની પરિભાષામાં 'અયોગી' કહેવો વધુ ઉચિત છે. અને સાચી જ વાત છે ને, ઘરની ચાર દીવાલો વચ્ચે તો અયોગી જ પડ્યો રહે ને ?                    યોગી ભાવનાશીલ છે અને ભાવનાશીલ આભાપરા ઉપર રાત ગાળ્યા વિના નહિ રહે. એમ તો સૌરાષ્ટ્રમાં ગીરનાર, ચોટીલો અને શેત્રુંજો ય હાથ ઊંચા કરી યોગી લોકોને આમંત્રી રહ્યા છે. પણ આભપરો તો અમારે ઘર આંગણાની વાત છે. હું તો પ્રવાસી જીવ, ધન્યભા

રેલવે મુસાફરી :- ટીકીટ બુકીંગ

ભારતીય રેલ્વે તેના ગંતવ્ય સ્ટેશનથી ટ્રેનના મૂળ સ્ટેશન વચ્ચે અનેક પ્રકારની વેઇટિંગ ટિકિટો જારી કરે છે. તેમાં GNWL, RLWL, PQWL, RLGN, RSWL જેવી વિવિધ પ્રકારની વેઇટિંગ ટિકિટનો સમાવેશ થાય છે. આ તમામ વેઇટિંગ ટિકિટોના અર્થ અલગ-અલગ છે અને તેમની કન્ફર્મ થવાની શક્યતાઓ પણ આનાથી નક્કી થાય છે. 👉 GNWL ટિકિટ :- GNWL એટલે જનરલ વેઇટિંગ લિસ્ટ અથવા સામાન્ય પ્રતીક્ષા સૂચિ. આ વેઇટિંગ ટિકિટ તે સમયે આપવામાં આવે છે જ્યારે તમે ટ્રેનના મૂળ સ્ટેશનથી મુસાફરી શરૂ કરો છો. ઉદાહરણ તરીકે, જો કોઈ ટ્રેન સુરતથી શરૂ થાય છે અને દિલ્હી આવે છે, તો સુરતથી ટિકિટ લીધા પછી તમને સામાન્ય વેઇટિંગ લિસ્ટ મળશે. જો તમે એજ ટ્રેનમાં વચ્ચે વડોદરાથી ટિકિટ લો છો તો તમને સામાન્ય વેઈટિંગ નહીં મળે. આ સૌથી સામાન્ય પ્રતીક્ષા સૂચિ છે અને આ પ્રતીક્ષા સૂચિમાં પુષ્ટિ થવાની સંભાવના મહત્તમ છે. કારણ કે જ્યાંથી ટ્રેન શરૂ થાય છે, તેમાં વધુ બર્થ મળે છે અને ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. તેથી જ્યારે પણ તમે આ રીતે ટિકિટ લો છો, ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે સામાન્ય વેઇટિંગ ટિકિટ લેવી જોઈએ કે અન્ય કોઈ ટિકિટ લેવી જોઈએ. 👉 RLWL ટિકિટ :- RLWL એટલે

આવો ડાંગ

Image
સુરત થી માત્ર 149 કિલોમીટર ના અંતરે આવેલી અદ્ભૂત જગ્યા........એક એવો આશ્રમ.....  જ્યા શનિ રવિ ની .....જાહેર રજાઓ ...ઉત્સવો અને દિવાળી ની રજાઓ માં પુરા પરિવાર સાથે જઇ શકાય......રાત્રી રોકાણ અને રહેવા જમવાની સંપૂર્ણ  વ્યવસ્થા.......*પ્રથમ વખત આવનાર વ્યક્તિઓ માટે રાત્રી રોકાણ ફરજિયાત છે.....*બાળકો માટે ખૂબ મોટું ગ્રાઉન્ડ...... ગાઢ જંગલ ની વચ્ચે.....કુદરત ના ખોળામાં અને પ્રકૃતિ ની ગોદ માં....... ફરતી બાજુ ઊંચા પહાડો......નીછે ઊંડી ખીણો..... અને વચ્ચે એક દરિયાઇ ટાપુ હોય એવો  ટેકરો અને એ ટેકરા માં સુંદર મજાનો એક આશ્રમ......એક એવી જગ્યા કે જયાં 24 કલાક વિતાવ્યા પછી જાણે જીવન નો થાક ઉતરી ગયા નો અહેસાસ થાય...........24 કલાક નું આયોજન...રાત્રી રોકાણ સાથે નું નીચે મુજબ છે....... જ્યા આવ્યા બાદ સાંજે...04.00 pm સ્વાગત ...ચા...પાણી....05.00...pm...વાગે લ્હાવો મળે સનસેટ પોઇન્ટનો..........ત્યારબાદ...07.30 pm....સાંજ ની સંધ્યા આરતી......08.30 pm...રાત્રી સત્ર નો પ્રસાદ.....09.00 pm...થોડું વોકિંગ.....09.30....pm રાત્રી સત્ર ની કલ્ચરલ એક્ટિવિટી....જેમાં..ગેમ.......ફીઝીકલ...ગેમ...માઇન્ડ ગેમ .......પરિચય

પાતાળેશ્ચર મહાદેવ (કાશીગર મહાદેવ) ચિત્રોડ ( વાગડ કચ્છ )

Image
રાપર તાલુકાના ચિત્રોડ ખાતે ગામ થી ઉત્તર દિશા મા આશરે એક કિલોમિટર ના અંતરે પ્રસિદ્ધ પાતાળેશ્ચર મહાદેવ (કાશીગર મહાદેવ)ની જગ્યા આવેલી છે!  એમ કહેવાય છે કે ૧૮૫૭ ના વિપ્લવકારીઓ ઉપર જ્યારે અંગ્રેજો નું દબાણ બહુજ આવ્યું અને એક બાજુ ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો ને ધૂળ ચટાડતા હતા પરંતુ તેઓ વીરગતિ પામતા પછી અંગ્રેજો એ વિપ્લવ ને કચડી નાખવા અને વિપ્લાવકારીઓ ને પકડી ને ફાંસી ને માચડે લટકાવી દેવા એવો હુકમો થયા ત્યારે દેશ માટે લડતા અને દેશ માટે ખપી જનારા એવા ચાર મહાન ક્રાંતિકારીઓ વાગડ આવે છે!વાગડ એટલે ત્યારે એકદમ નિર્જન વિસ્તાર હતો અહીંયા અલગ અલગ ચાર જગ્યા એ રહે છે!  લોકવાયકા પ્રમાણે એમ કહેવાય છે કે ૧૮૫૭ ના ક્રાંતિકારીઓ નાના સાહેબ પેશ્વા તેમજ તાત્યા ટોપે તેમજ અન્ય બે ક્રાંતિકારીઓ એમ કુલ ચાર વાગડ આવે છે તેમાં નાના સાહેબ પેશ્વા ભભૂતગિરિ નામ ધારણ કરી ને બાદરગઢ ના વિથરોઈઓ ડુંગર મા રહે છે અને હાલે પ્રસિદ્ધ જગ્યા છે!તેમજ તાત્યા ટોપે ભૂટકિયા ખાતે આવેલી પૌરાણિક જગ્યા ધોરેશ્વર મહાદેવ ની જગ્યા મા જ્ઞાનગરજી બાપુ તરીકે રહે છે અને ઓળખાયા હતા!અહીંયા ભૂટકિયા માં આસપાસ ના ૧૨ ગામો ની જેલ અહીંયા હતી જે ધરતીકંપ મા

માઉન્ટ આબુ વિશે...

Image
સફર કા મજા મંઝિલ મેં નહિ રાસ્તો મેં હૈ....  ખરેખર ગુજરાત અંબાજી પછી જ્યારે રાજસ્થાનની સરહદ તરફ જઈએ ત્યારે રસ્તામાં આવતા આરસ પહાણ ની ખાણો તેમજ પર્વત પર જતો રસ્તો તેમજ સર્પાકાર ઊંચાઈ પર જતાં વાહનો અને આબુ સુધી પહોંચવાની મજા ખરેખર અદભુત છે.. આ સમયે દરેક પ્રવાસી મોબાઈલમાં વ્યસ્ત ન રહેતા આ સફરને માણવો જોઈએ...  તો ચાલો માઉન્ટ આબુ વિશે વધુ જાણીએ... ભારત દેશ ના પશ્ચિમ તટ પર રાજસ્થાન માં આવેલ એક પહાડી નગર છે માઉન્ટ આબુ ગુજરાત ની નજીક આવેલ છે. આબુ ભારત ના અરવલ્લી ગિરી માળાઓ માં આવે છે અને સૌથી મોટો પહાડ માઉન્ટ આબુ છે. એ એક સુંદર દેખાતું હિલ સ્ટેશન છે. માઉન્ટ આબુ ને અલ્બુદરાન્ય પણ કહેવાય છે, જેનું નામ નાગદેવતા અર્બુદા પર પડ્યું હતું. ભગવાન શિવ ના બળદ નદી ની રક્ષા કરવા માટે નાગદેવતા આ પહાડી નીચે આવ્યા હતા. પછી એનું નામ બદલી માઉન્ટ આબુ કરી દીધું. ઐતિહાસીક રૂપે આ સ્થાન ગુજ્જરો દ્વારા વસાવવા માં આવ્યું છે. માઉન્ટ આબુમાં જોવાલાયક અન્ય સ્થળો નક્કી લેક નક્કી ઝીલ (લેક) એક રસિયા બાલમ નામના વ્યક્તિએ એના નખોથી નિર્માણ કર્યું હતું. રસિયા પ્રાચીન સમયમાં આબુમાં કામ કરવા ગયો હતો ત્યાં તેને રાજકન્યા સાથે પ્રેમ થ

નડા બેટ

Image
આ જગ્યાને ગુજરાતમાં આવેલી વાઘા બોર્ડર પણ કહી શકાય. બનાસકાંઠાના નડાબેટ ગામના સીમા દર્શનમાં તમને વાઘા બોર્ડર જેવો જ માહોલ જોવા મળશે. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બનાસકાંઠા જિલ્લાના અફાટ રણમાં આવેલા નડાબેટ ખાતે નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે. વાવ તાલુકાના સુઇગામથી 20 કી.મી. દુર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ નડાબેટ લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. BSFનાં કેમ્પની બાજુમાં જ નડેશ્વરી માતાનું પ્રાચીન મંદિર છે,  દેશની સરહદે આવેલા રક્ષક દેવીનો ઇતિહાસ અનોખો છે. એક દંતકથા મુજબ જુનાગઢના રાજા નવધણે પોતાના વિશાળ લશ્કરી કાફલા સાથે પોતાની બહેન જાસલને સિંધના મુસલમાન રાજાની કેદમાંથી છોડાવવા આક્રમણ કરેલ ત્યારે અહીંથી પસાર થતાં નડાબેટ મુકામે મુકામ કરેલ તે વખતે ચારણ કન્યાએ લશ્કરી કાફલાને જમાડી રણનો સલામત રસ્તો બતાવી વિજયના આશીર્વાદ આપેલા હતા. આ ચારણ કન્યા શ્રી નડેશ્વરી માતાજી તરીકે પુજાય છે. કચ્છના રણમાં અનેક બેટ દ્વીપ આવેલા છે જેમાં નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે. ઉ૫ર તમે જે ફોટો જોઇ રહયા છો તે નડાબેટ પાકિસ્તાન બોર્ડરનો જ છે. અહીં સામેના કાંઠે છે જે જમીન દેખાય છે તે પાકિસ્તાનની જમીન