Posts

Showing posts from January, 2023

આભાપરા:- બરડાની સૌથી ઉંચી ટૂંક

 #આભપરો...                                      આભાપરાને કોઈ ઉપમા ઘટે તો સદેહે બિરાજતા શિવની. આભાપરાની બાજુની ટેકરી, શિવની વામકક્ષે બેઠેલાં પાર્વતી સમી છે; તો દક્ષિણનો વેણુ, ઋષિ-મુનિઓના પ્રતિનિધિ સમા ભૃગુ જેવો, શિવથી ય બે વેંત ઊંચો શોભી રહ્યો છે. ચરણોમાં ગંગાના પુનિત વારિભર્યા બે તળાવો અને બાજુમાં જ ફેણ ચડાવી સ્તુતિ કરતા નાગ દેવતાના ઊભા પથ્થરો. સામે જુદું તરી આવતું દંતારનું શિખર જાણે નંદી છે તો કાનમેરો અને હડિયો શિવના બે ગણો - આમ ભગવાન શિવનો અદ્ભૂત પરિવાર, કલ્પનાની આંખથી જોઈએ તો આપણી સમક્ષ ખડો થાય છે.                  બરડાની આજુબાજુ રહેનારો માણસ આભાપરા ઉપર રાત ન રોકાયો હોય તો તેને આપણે શું કહેશું ? અરસિક અને બુદ્ધુ કહેવા કરતાં, ગીતાની પરિભાષામાં 'અયોગી' કહેવો વધુ ઉચિત છે. અને સાચી જ વાત છે ને, ઘરની ચાર દીવાલો વચ્ચે તો અયોગી જ પડ્યો રહે ને ?                    યોગી ભાવનાશીલ છે અને ભાવનાશીલ આભાપરા ઉપર રાત ગાળ્યા વિના નહિ રહે. એમ તો સૌરાષ્ટ્રમાં ગીરનાર, ચોટીલો અને શેત્રુંજો ય હાથ ઊંચા કરી યોગી લોકોને આમંત્રી રહ્યા છે. પણ આભપરો તો અમારે ઘર આંગણાની વાત છે. હું તો પ્રવાસી જીવ, ધન્યભા

રેલવે મુસાફરી :- ટીકીટ બુકીંગ

ભારતીય રેલ્વે તેના ગંતવ્ય સ્ટેશનથી ટ્રેનના મૂળ સ્ટેશન વચ્ચે અનેક પ્રકારની વેઇટિંગ ટિકિટો જારી કરે છે. તેમાં GNWL, RLWL, PQWL, RLGN, RSWL જેવી વિવિધ પ્રકારની વેઇટિંગ ટિકિટનો સમાવેશ થાય છે. આ તમામ વેઇટિંગ ટિકિટોના અર્થ અલગ-અલગ છે અને તેમની કન્ફર્મ થવાની શક્યતાઓ પણ આનાથી નક્કી થાય છે. 👉 GNWL ટિકિટ :- GNWL એટલે જનરલ વેઇટિંગ લિસ્ટ અથવા સામાન્ય પ્રતીક્ષા સૂચિ. આ વેઇટિંગ ટિકિટ તે સમયે આપવામાં આવે છે જ્યારે તમે ટ્રેનના મૂળ સ્ટેશનથી મુસાફરી શરૂ કરો છો. ઉદાહરણ તરીકે, જો કોઈ ટ્રેન સુરતથી શરૂ થાય છે અને દિલ્હી આવે છે, તો સુરતથી ટિકિટ લીધા પછી તમને સામાન્ય વેઇટિંગ લિસ્ટ મળશે. જો તમે એજ ટ્રેનમાં વચ્ચે વડોદરાથી ટિકિટ લો છો તો તમને સામાન્ય વેઈટિંગ નહીં મળે. આ સૌથી સામાન્ય પ્રતીક્ષા સૂચિ છે અને આ પ્રતીક્ષા સૂચિમાં પુષ્ટિ થવાની સંભાવના મહત્તમ છે. કારણ કે જ્યાંથી ટ્રેન શરૂ થાય છે, તેમાં વધુ બર્થ મળે છે અને ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. તેથી જ્યારે પણ તમે આ રીતે ટિકિટ લો છો, ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે સામાન્ય વેઇટિંગ ટિકિટ લેવી જોઈએ કે અન્ય કોઈ ટિકિટ લેવી જોઈએ. 👉 RLWL ટિકિટ :- RLWL એટલે

આવો ડાંગ

Image
સુરત થી માત્ર 149 કિલોમીટર ના અંતરે આવેલી અદ્ભૂત જગ્યા........એક એવો આશ્રમ.....  જ્યા શનિ રવિ ની .....જાહેર રજાઓ ...ઉત્સવો અને દિવાળી ની રજાઓ માં પુરા પરિવાર સાથે જઇ શકાય......રાત્રી રોકાણ અને રહેવા જમવાની સંપૂર્ણ  વ્યવસ્થા.......*પ્રથમ વખત આવનાર વ્યક્તિઓ માટે રાત્રી રોકાણ ફરજિયાત છે.....*બાળકો માટે ખૂબ મોટું ગ્રાઉન્ડ...... ગાઢ જંગલ ની વચ્ચે.....કુદરત ના ખોળામાં અને પ્રકૃતિ ની ગોદ માં....... ફરતી બાજુ ઊંચા પહાડો......નીછે ઊંડી ખીણો..... અને વચ્ચે એક દરિયાઇ ટાપુ હોય એવો  ટેકરો અને એ ટેકરા માં સુંદર મજાનો એક આશ્રમ......એક એવી જગ્યા કે જયાં 24 કલાક વિતાવ્યા પછી જાણે જીવન નો થાક ઉતરી ગયા નો અહેસાસ થાય...........24 કલાક નું આયોજન...રાત્રી રોકાણ સાથે નું નીચે મુજબ છે....... જ્યા આવ્યા બાદ સાંજે...04.00 pm સ્વાગત ...ચા...પાણી....05.00...pm...વાગે લ્હાવો મળે સનસેટ પોઇન્ટનો..........ત્યારબાદ...07.30 pm....સાંજ ની સંધ્યા આરતી......08.30 pm...રાત્રી સત્ર નો પ્રસાદ.....09.00 pm...થોડું વોકિંગ.....09.30....pm રાત્રી સત્ર ની કલ્ચરલ એક્ટિવિટી....જેમાં..ગેમ.......ફીઝીકલ...ગેમ...માઇન્ડ ગેમ .......પરિચય